પ્રસ્તાવના: ભવસાગર શબ્દ એ ભવઅનેસાગર નું સંયોજન છે. ભવ એટ્લે કે જનમ, જીવન અથવા આયખું અને સાગર એટ્લે કે સમુદ્ર અથવા દરિયો યાને કે જનમ રૂપી સાગર ને પાર કરવા માટે આપણને ઈશ્વર ભક્તિની જરૂરત રહે છે કે જેના થકી આપણે આ મોહ માયા ની દુનિયા એટ્લે કે આ ભવસાગર પાર કરી ઈશ્વર માં એક થવા સક્ષમ બનીએ.
ઈશ્વરભક્તિમાં લીન રહેનારાઓને આ દુનિયાની વસ્તુઓ તેમજ તેમાં થઈ રહેલા પરિવર્તનો ગમતા નથી કારણ કે તે બધુ જીવન ની અસલ હકીકત થી વિરુદ્ધ છે. બસ, ભવસાગર એ એક એવો કાવ્યગ્રંથ છે કે જેમાં જીવન ની હકીકત છુપાયેલ છે. અને ઈશ્વર સાથેની વાતો છે. જેની અંદર (કવિયત્રી) શીરીને પોતાની જાત સાથે જે વાતો કરેલ છે તેને શબ્દો માં આકાર આપવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે.
વેબસાઇટ તૈયાર થઈ રહી છે, રોજ નવી આવૃતિઓ અપડેટ થતી રહે છે, મુલાકાત લેતા રહેશો... નવી રજૂઆત : ૧. તું હવે મૌલા... ૨. સંગ મૌલાકા... "જો આપને આએ વેબસાઇટ પસંદ આવી હોય તો નીચેના વિકલ્પો દ્વારા તમારા ફેસબુક અથવા ટ્વિટર અકાઉંટ પર શેર કરશો અથવા લાઇક કરશો તો મને ગમશે." -શીરીન પડાણીયા